વેદો–પુરાણોમાં વનસ્પતીમાહાત્મ્ય

– સંપાદનઃ સ્વ શ્રી નરહરિભાઈ ભટ્ટ

 

ભગવદગીતા 

જેનું આદિપુરુષ પરમાત્મારૂપ મૂળ ઉર્ધ્વ છે, અને બ્રહ્માથી લઈ સ્થાવર–જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે; છંદો જેનાં પાંદડાં છે એવા આ સંસારને અશ્ચત્થવૃક્ષ રૂપે કહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. (૧૫/૧)

હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તી વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું. તથા રસરુપ ચન્દ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. ( ૧૫/૧૩)

વિષ્ણુસહસ્ત્રનામ

‘સોમ’; ‘વૃક્ષ’; ‘પુષ્કરાક્ષ’; વનમાલી; કુંદર, કુંદ; ન્યગ્રોધ; ઉદુંબર; અશ્વત્થ; સુપર્ણ; પુષ્પહાસ;

શુક્લયજુર્વેદીય રુદ્રાષ્ટાધ્યાયી

“વસંતરૂપી ઘૃત ગ્રીષ્મ ઈન્ધનો,

શરદ્ ૠતુ એ હવિનાં સુ–સાધનો;

પરિધિઓ એમની છે જ સપ્ત,

તથા સમિધો સહુ એકવીશ.”  (પુરુષસુક્ત ૧૪–૧૫)

શતરુદ્રીય

નમું તરુ, ગૌપીઠમાં વસ્યા નમું – ૩૨

નમું ખળાં ધાન્ય ભૂમાં વસ્યા નમું;

નમું જલે, પત્ર વને વસ્યા નમું – ૩૩

નમું હરિત્ કેશી વૃક્ષને નમું; – ૪૦

સૂકાં લીલાં કાષ્ટ, ધૂળે વસ્યા નમું;

રજે, પંથે, ભૂ, તૃણમાં વસ્યા નમું,

પર્ણો, ખર્યાં પર્ણપ્રદેશને નમું. – ૪૫–૪૬

કલ્યાણકારી રૂપ આપનું આ,

કલ્યાણદા ઔષધરૂપ કાયા;

તે દેહથી, વ્યાધી થકી અમોને

આનંદ દ્યો દેવ ! જીવાડવાને. ૪૯

રુદ્રાષ્ટક–૬

હે રુદ્ર ! છો ઔષધરૂપ આપ,

ને આપ છો રોગ નિવારનાર;

તેથી અમારાં જન, ગો, અજાશ્વો

રહે સુખી, ઔષધી, નાથ ! આપો. – ૪

રુદ્રાષ્ટક

સુવાણ અન્ન મધુ દુગ્ધપાન,

સબાંધવો ભોજન શ્રેષ્ઠ લ્હાણ;

રસો ઘૃતાદિ, ત્યમ આમ્ર ઉદ્ભવ,

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત. – ૯

સામો, ચણા, ડાંગર, ગ્રામ્યધાન

ને કોદરા, કાંગ, અરણ્યધાન,

કઠોળ ને કંદ, ઘઉં, મસુર

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત. – ૧૨

પાષાણ, માટી, ગિરિ, પર્વતોએ,

ને કાંકરી, રેતી, વનસ્પતિઓ,

સુવર્ણ, રૂપું, ત્યમ ધાતુ જે જે…

અગ્નિ, લતા, ઔષધી, ધાન્ય, વારી…

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત.. – ૧૩–૧૪

શાંતીમંત્ર

દ્યુલોક શાંતિ, નભલોક શાંતિ;

પૃથિવી શાંતિ, જલમાંહ્ય શાંતિ;

વનૌષધે શાંતિ, વનશ્રી શાંતિ,

ને વિશ્વદેવા, પરબ્રહ્મ શાંતિ,

સર્વત્ર શાંતિ, સહુ શાંતી, શાંતિ;

ને પ્રાપ્ત હો ઈશ કૃપાથી શાંતિ.

 ભગવતી ભાગવત

“જ્યારે સો વર્ષ સુધી વરસાદ નહીં પડે, ત્યારે હું પાર્વતીના શરીરમાંથી પ્રગટ થઈશ. અને તમો બધાને (દેવોને) સો નેત્રોથી નિહાળીશ. જેથી મને શતાક્ષી કહેશે. અને શાક વગેરે ઉત્પન્ન કરીશ તેથી પ્રજાની ક્ષુધા ત્રુપ્ત થશે જેથી મને શાકાભરી(શાકંભરી) પણ કહેશે.” (સ્કંધ – ૭, કથા પાંચમી.)

તેમાંની કેટલીક શક્તિપીઠો આ નામોથી પ્રચલિત છે –

બીલીપત્રમાં‘બિલ્વપત્રિકા’; સહ્યાદ્રીમાં ‘એકવીરા’; વૃંદાવનમાં ‘રાધા’; વિનાયકમાં ‘ઉમાદેવી’; વૈદ્યનાથમાં ‘આરોગ્યા’; ઉત્તમકુરુમાં ‘ઔષધી’; કુશદ્વીપમાં ‘કુશોદકા’.

(સ્કંધ – ૭, કથા સાતમી.)

શ્રી દુર્ગા સપ્તશતી

તું સૂર્યવર્ણા તપથી જ તારા,

આ બિલ્વ નામે તરુ ઉપજ્યું છે.

તેનાં ફળો દુર કરો અલક્ષ્મી,

જે દેહમાં બાર રહી તપોથી. (શ્રી સુક્ત–૬)

અમર્ત્ય્ દેવી, અધ ઊર્ધ્વ, આદ્ય,

સંપુર્ણ વિશ્વે તરુ વૃક્ષ વ્યાપી. (રાત્રીસુક્તમ્–૨)

સો સો વર્ષો લગી પાછી, રોકાશે મેઘવૃષ્ટિ જ્યાં,

જન્મીશ મુનીની પ્રાર્થી, પાર્વતી ઉદરે ભૂમાં..

તદા હું આત્મદેહથી અખીલલોક ઉદ્ભવી,

ઉગાડી આપીશ શાક, પ્રાણ રક્ષીશ શાકથી.

તદા ‘શાકંભરી’ નામે ખ્યાત પામીશ ભૂ પરે. (૪૬–૪૯ અધ્યાય–૧૧)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ઔષધિગાન ભાગ – ૨’ના પરિશિષ્ટમાંથી સાભાર)

Leave a comment